- 10 Apr, 2026
- 573
“હોમિયોપેથી: પ્રાકૃતિક ઉપચાર, સ્વસ્થ જીવનનો આધાર”
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઑફ હોમિયોપેથીના સહયોગથી વર્લ્ડ હોમિયોપેથી ડે ઉત્સાહ અને શૈક્ષણિક ઉમંગ સાથે ઉજવાયો હતો. આ કાર્યક્રમ હોમિયોપેથી પદ્ધતિના પાયોનિયર ડૉ. સેમ્યુઅલ હાહનેમેનની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે માનનીય વાઇસ ચાન્સેલર ડૉ. એમ. એસ. રાવ, રજીસ્ટ્રાર ડો. ચેતનસિંહ વાઘેલા અને ડીન તથા એકેડેમિક ડિરેક્ટર ડૉ. અરવિંદ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ અને પ્રેરણાથી ભર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત હોમિયોપેથીના ડીન ડૉ. સુરજીત સિંહ રાણા દ્વારા આપેલા સ્વાગત ભાષણથી થઈ હતી. તેમણે તમામ મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું તેમજ પોતાના સંબોધનમાં આધુનિક આરોગ્યસંભાળમાં હોમિયોપેથીની વધતી જતી મહત્વતા અને સ્વીકાર્યતા અંગે પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોએ પ્રેરણાદાયક ભાષણો આપતાં સમગ્ર આરોગ્ય માટે હોલિસ્ટિક હીલિંગના મહત્વ, સંશોધન ક્ષેત્રમાં થયેલા વિકાસ અને જાહેર આરોગ્યમાં હોમિયોપેથીની ભૂમિકા પર ભાર મુક્યો હતો. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રેઝન્ટેશન, પોસ્ટર પ્રદર્શન અને હોમિયોપેથીના સિદ્ધાંતો પર આધારિત સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સક્રિય ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે આભારવિધિ રજૂ કરવામાં આવી હતી, જેમાં તમામ મહેમાનો, આયોજકો અને ભાગ લેનારાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્ય 3 (સારો આરોગ્ય અને સુખાકારી) અને લક્ષ્ય 4 (ગુણવત્તાપૂર્ણ શિક્ષણ) સાથે સુસંગત છે.









