મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઊભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી; ગીર સોમનાથ – જૂનાગઢ જિલ્લાના ગામોમાં જાતે જઈને પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિ નિરીક્ષણ કર્યું...

મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રીશ્રીઓ સર્વે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાતમાં જોડાયા...

ખૂબ જ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર બેઠા કરવાની પ્રતિબદ્ધતા : મુખ્યમંત્રીશ્રી

રાજ્યના લગભગ 70 ટકા જેટલા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ; 4800થી વધુ ટીમો સર્વે કામગીરીમાં જોડાઈ...

Share :

સંબંધિત સમાચાર