S Jaishankar To Pakistan : વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ભારત આતંકવાદનો "ચોક્કસ અંત" ઇચ્છે છે અને ગયા મહિને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા જેવા કોઈપણ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર ફરીથી હુમલો કરશે. તેમણે કહ્યું કે, યુએન પ્રતિબંધોની યાદીમાં સમાવિષ્ટ 'સૌથી કુખ્યાત' આતંકવાદીઓ પાકિસ્તાનમાં છે અને તેઓ દેશના મોટા શહેરોમાં ખુલ્લેઆમ સક્રિય છે અને ફરે છે. "પાકિસ્તાન સરકારની આમાં સંડોવણીછે. પાકિસ્તાન સેના આમાં સંપૂર્ણપણે સામેલ છે." જયશંકરે કહ્યું કે, બંને પક્ષો વચ્ચે સીધી વાતચીત બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક કરાર થયો હતો. તેમણે આ વાત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાની પૃષ્ઠભૂમિમાં કહી હતી કે, વોશિંગ્ટને 'યુદ્ધવિરામ' કરવામાં ભૂમિકા ભજવી હતી.

જયશંકર નેધરલેન્ડમાં બોલી રહ્યા હતા

જયશંકરે નેધરલેન્ડના પ્રસારણકર્તા NOS અને ડી વોલ્ક્સક્રાંતને અલગ અલગ મુલાકાતોમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જો બીજો આતંકવાદી હુમલો થશે તો ભારત પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કરશે. આ જ કારણ છે કે ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી. જયશંકર નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની મુલાકાતના ભાગ રૂપે નેધરલેન્ડના હેગ શહેરમાં હતા. તેમણે કહ્યું, 'આ ઓપરેશન ચાલુ છે કારણ કે તેમાં સ્પષ્ટ સંદેશ છે - કે જો 22 એપ્રિલ જેવી કૃત્યો ફરીથી થશે, તો તેમને જવાબ આપવામાં આવશે, અમે આતંકવાદીઓ પર હુમલો કરીશું.'

આતંકવાદી પાકિસ્તાનનાં ગમે તે ખુણે હશે અમે હુમલો કરીશું

વિદેશ મંત્રીએ કડક સંદેશ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, 'જો આતંકવાદીઓ પાકિસ્તાનમાં હશે, તો અમે તેમને જ્યાં હશે ત્યાં હુમલો કરીશું. તેથી, ઓપરેશન ચાલુ જ છે. પરંતુ ઓપરેશન ચાલુ રાખવાનો અર્થ એકબીજા પર ગોળીબાર કરતા રહેવું તેવો નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે, કોઈએ એવું ન માનવું જોઈએ કે પાકિસ્તાનને ખબર નથી કે તેના દેશમાં શું ચાલી રહ્યું છે. એસ જયશંકરે ડી વોલ્ક્સક્રાંતને કહ્યું, "તેમના સરનામાં આખા વિશ્વે ખબર છે. તેમની પ્રવૃત્તિઓ જગત જાણ છે. તેમના પરસ્પર સંપર્કો અંગે બધાને માહિતી છે. તેથી આપણે એવું ન માનવું જોઈએ કે પાકિસ્તાન આમાં સામેલ નથી. સરકાર આમાં સામેલ છે. સેના આમાં સંપૂર્ણપણે સામેલ છે."

ભારતે ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા

22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 6 અને 7 મેની રાત્રે નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. ભારતીય કાર્યવાહી બાદ, પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય પક્ષે પાકિસ્તાની પ્રયાસોનો કડક જવાબ આપ્યો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ 10 મેના રોજ જાહેરાત કરી હતી કે, ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે.

જયશંકરે અમેરિકા સાથે ચર્ચા થયેલી વાત જણાવી

જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંનેએ સંઘર્ષને સમાપ્ત કરવા માટેની વ્યવસ્થાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું, 'જ્યારે બે દેશો સંઘર્ષમાં ફસાયેલા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે વિશ્વના દેશો એકબીજાને ફોન કરીને પોતાની ચિંતા વ્યક્ત કરવાનો પ્રયાસ કરે.' જયશંકરે કહ્યું, 'પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે સીધી વાતચીત થઈ હતી.' તેમણે કહ્યું, 'અમે અમારી સાથે વાત કરનારા દરેકને, ફક્ત અમેરિકા જ નહીં, પરંતુ દરેકને એક વાત ખૂબ જ સ્પષ્ટતા કરી દીધી હતી કે જો પાકિસ્તાનીઓ લડાઈ બંધ કરવા માંગતા હોય, તો તેમણે અમને કહેવું પડશે. આપણે તેમની પાસેથી આ સાંભળવું પડશે. તેમના જનરલે અમારા જનરલને ફોન કરીને આ કહેવું પડશે. અને આ બન્યું છે.'

પાકિસ્તાનીઓએ આ સારી રીતે સમજવું જોઈએ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો સમાપ્ત થયા પછી, ટ્રમ્પે ઘણી વખત તેનો શ્રેય લીધો છે અને કહ્યું છે કે, તેમણે બંને પક્ષો વચ્ચે 'યુદ્ધવિરામ' લાવવામાં ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું, 'અમે આતંકવાદનો ચોક્કસ અંત ઇચ્છીએ છીએ. તેથી અમારો સંદેશ છે: હા, યુદ્ધવિરામથી હાલ પૂરતો એકબીજા સામે લશ્કરી કાર્યવાહી બંધ થઈ ગઈ છે, પરંતુ જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલાઓ ચાલુ રહેશે, તો તેના પરિણામો ભોગવવા પડશે.' તેમણે કહ્યું, 'પાકિસ્તાનીઓએ આ સારી રીતે સમજવું જોઈએ.'

Share :

સંબંધિત સમાચાર